INDRAVATI

Author : KESHUBHAI DESAI

ISBN No : 9789390572670

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


'વેદનાનો માર્મિક દસ્તાવેજ' || માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી? || ‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મકુંડળી માંડે છે, જેણે પુરાણકાળમાં ઇન્દ્રપુરી જેવો વૈભવ ભોગવ્યા પછી હજારો વર્ષથી ઓળખ ગુમાવી દીધી હતી. એ પછી તો સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં અને આખરે એક દિવસ એ સાવ સૂકીભઠ બની ગઈ. ત્યાં ઓચિંતું એનું કિસ્મત આળસ મરડીને જાગી ઊઠ્યું અને હાંસિયે મુકાઈ ગયેલી એ ભોમકામાં આધુનિક ઇંદ્રપુરી સમી રાજધાની વસી ગઈ. જોકે રાજધાનીમાં ફેરવાયેલા એ ગુમનામ ગામડાની પીડા તો કોઈની નજરમાં જ ન આવી! જમીનમાલિકો મજૂરમાં ફેરવાઈ ગયા, અને ‘જગતનો તાત’ કહેવાતો ખેડૂત ઓશિયાળો થઈ ગયો. પોતાની મા સમાન ધરતીમાં એને બે ઘડી વિસામો લેવાનોય હક ન રહ્યો! || વરિષ્ઠ નવલકથાકાર અને લોકચિંતક કેશુભાઈ દેસાઈની કરુણાર્દ્ર નજર, એ ખેડુ પ્રજાને કોતરોમાં દારૂ ગાળતી જોઈને દ્રવી ઊઠી અને સરજાઈ આ અનોખી ભૂમિકથા. સંવેદનશીલ મહિલા સનદી અધિકારીનું માતૃહૃદય, વસુંધરાનાં એ વહાલાંદવલાંની વહારે ધાતું દર્શાવી લોકનિષ્ઠ સર્જકે, નઠોર રાજકારણીઓ દ્વારા ઠેબે ચડાવાયેલ પ્રાચીન ધરોહર ધરાવતા ગ્રામપ્રદેશના જીર્ણોદ્ધારની શ્રદ્ધાસ્પદ માંડણી કરી છે. || ગુજરાત અને ગુજરાતી ઉપરાંત ગ્રામસ્વરાજના પ્રયાગ સમી આ કથા વણકથી વેદનાનો માર્મિક દસ્તાવેજ છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories